ભરૂચમાં પાઇપ તૂટવાના મુદ્દે બે કોમ વચ્ચે મારામારી બાદ પથ્થરમારો, બે લોકો ઇજાગ્રસ્ત

ભરૂચમાં પાઇપ તૂટવાના મુદ્દે બે કોમ વચ્ચે મારામારી બાદ પથ્થરમારો, બે લોકો ઇજાગ્રસ્ત

ભરૂચઃ ભરૂચ સ્થિત યુનિયન સ્કૂલ પાસે આવેલી સલ્લેઅલાહ બાવાની મસ્જિદ પાસે પાઇપ તૂટી જવાના મુદ્દે બે કોમના જૂથ આમને-સામને આવી ગયા હતા બંને જૂથ વચ્ચે મારામારી બાદ પથ્થરમારો થયો હતો જેમાં બે લોકો ઇજાગ્રસ્ત થયા હતા અને એક વાહનને નુકસાન થયું હતું ઘટનાની જાણ થતાં જ ભરૂચ એ-ડિવિઝન અને બી ડિવિઝન પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી અને સમગ્ર મામલાને થાળે પાડ્યો હતો પોલીસે આ મામલે વધુ તપાસ હાથ ધરી છે


User: DivyaBhaskar

Views: 511

Uploaded: 2019-05-15

Duration: 01:13