ભત્રીજાને દવાખાને લઈ જતા યુવકોને ટોળાએ બાળક ચોર સમજીને માર્યા, એકનું મોત

ભત્રીજાને દવાખાને લઈ જતા યુવકોને ટોળાએ બાળક ચોર સમજીને માર્યા, એકનું મોત

ઉત્તર પ્રદેશના સંભલ જિલ્લામાં ટોળાએ બે નિર્દોષોને ઢોરમાર માર્યો હતો જેના કારણે એકનું મોત થયું હતું તો અન્યની હાલત ગંભીર હોવાનું સામે આવ્યું હતું આ બંને યુવકો તેના ભત્રીજાની તબિયત ખરાબ હોવાથી તેને દવાખાને લઈ જતા હતા ત્યારે ટોળાએ તેમને બાળક ચોર સમજીને પકડ્યા હતા ઘટનાની જાણ થતાં જ પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી ગઈ હતી પણ તેઓ આ બંનેને બચાવે તે પહેલાં તો રાજુ નામના યુવકનું સ્થળ પર જ મોત થઈ ગયું હતું પોલીસે પણ આ મોબ લિંચિંગ મામલે ફરિયાદ નોંધીને કેટલાક લોકોની ધરપકડ કરી હતી મંગળવારે બપોરે ચંદૌસી પોલીસ સ્ટેશનની હદમાં બનેલા આ અપરાધના કારણે રાજ્યનું રાજકારણ પણ ગરમાયું છે માયાવતીએ પણ આ મુદ્દે ટ્વીટ કરીને યૂપીમાં જંગલરાજ ચાલી રહ્યું હોવાનું કહીને રાજ્ય સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા


User: DivyaBhaskar

Views: 9

Uploaded: 2019-08-28

Duration: 00:40

Your Page Title