ગોંડલમાં મહંત સ્વામીની હાજરીમાં 235મા ગુણાતીત જન્મોત્સવની દબદબાભેર ઊજવણી કરી

ગોંડલમાં મહંત સ્વામીની હાજરીમાં 235મા ગુણાતીત જન્મોત્સવની દબદબાભેર ઊજવણી કરી

ગોંડલઃ સૌરાષ્ટ્રના સુપ્રસિદ્ધ તીર્થધામ ગોંડલ અક્ષર મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રત્યક્ષ ઉપસ્થિતિમાં ૨૩૫મો ગુણાતીતાનંદ સ્વામીનો જન્મોત્સવ ભાવભેર ઉજવાઈ ગયો આ મહોત્સવનો લાભ લેવા દેશ અને પરદેશથી હજારો હરિભક્તો નો પ્રવાહ ગોંડલ ભણી આવ્યો હતો સવારે મહંત સ્વામીની પ્રાતઃ પૂજા બાદ યોજાયેલી કળશયાત્રામાં દેશ-વિદેશથી પધારેલા સંતો અને હરિભકતો જોડાયા હતા અક્ષર ઘાટ પર પ્રમુખસ્વામી મહારાજના અસ્થિ વિસર્જનને આ વર્ષે ચાર વર્ષ પુરા થતા હોય અક્ષર ઘાટ પર પૂજ્ય વિવેક સાગરદાસ સ્વામીની ઉપસ્થિતિમાં વૈદિક મહાપૂજા નુ આયોજન કરવામાં આવ્યું હતું શરદપૂનમની મુખ્ય સભા સાંજે 6:00થી 9:00 દરમિયાન યોજવામાં આવી હતી આ વર્ષે વચનામૃત દ્વિશતાબ્દી મહોત્સવ અંતર્ગત "વચનામૃત’ મધ્યવર્તી વિચાર સાથે સમગ્ર કાર્યક્રમ યોજાયો હતો આજનો આ સમગ્ર ઉત્સવ એ મહા પુરુષને સમર્પિત કરવામાં આવ્યો હતો જેણે પોતાનું સમગ્ર જીવન સમાજ માં રહેલા દુષણો-બદીઓ દૂર કરી સમાજ ઉદ્ધરના કર્યા માં વિતાવ્યું હતું


User: DivyaBhaskar

Views: 488

Uploaded: 2019-10-14

Duration: 01:51

Your Page Title