CM યોગી સાથે રાજ્યપાલ આનંદીબેને સરયૂ આરતીમાં ભાગ લીધો

CM યોગી સાથે રાજ્યપાલ આનંદીબેને સરયૂ આરતીમાં ભાગ લીધો

ભગવાન રામનું શહેર અયોધ્યામાં દીપોત્સવના મુખ્ય કાર્યક્રમમાં ભાગ લેવા શનિવારે ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પહોંચી ગયા છે અહીં તેમણે રામ-સીતાની આરતી ઉતારી હતી રામ વનવાસથી પરત આવ્યાની ખુશીમાં શહેરમાં 14 જગ્યાએ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું છે રામ મંદિરની જગ્યા છે ત્યાં 4 લાખ દીપ પ્રગટાવીને ગિનીઝ વર્લ્ડ રેકોર્ડ બનાવવાની તૈયારી કરવામાં આવી હતી બાકીના દીવડા શહેરના અન્ય ભાગમાં પ્રગટાવવામાં આવ્યા હતા કુલ 5 લાખ 50 હજાર દીવડા પ્રગટાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવવામાં આવ્યો છે દીવડાઓ પ્રગટાવ્યા બાદ તેની ગણતરીક કરવામાં આવી હતી લોકો ઉત્સાહભેર આ કાર્યક્રમને માણી રહ્યા છે મંત્રોચ્ચારના ઉચ્ચારણ સાથે કાર્યક્રમ ચાલી રહ્યો છે દેશ વિદેશથી આવેલા મુલાકાતીઓએ કહ્યું હતું કે તેમણે આવું ક્યારેય જોયું નથી


User: DivyaBhaskar

Views: 3.7K

Uploaded: 2019-10-26

Duration: 00:55

Your Page Title