અમદાવાદ મ્યુ. કમિશનરે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ પર નિવેદન આપ્યું

અમદાવાદ મ્યુ. કમિશનરે શહેરમાં પાણી ભરાવાની સ્થિતિ પર નિવેદન આપ્યું

અમદાવાદ મ્યુ. કમિશનરે શહેરમાં પાની ભરાવાની સ્થિતિ અંગે નિવેદન આપતા જણાવ્યું હતું કે અમદાવાદમાં સવારથી બપોરે 4 વાગ્યા સુધીમાં 5 ઇંચ વરસાદ પડ્યો છે. સૌથી વધારે ઉસ્માનપુરામાં 9 ઇંચ વરસાદ પડ્યો હતો. જેને કારણે શહેરના અનેક રસ્તાઓ ઉપર પાણી ભરાયા હતા. જેની પાલિકામાં 5 જેટલી ફરિયાદો આવી હતી. પરંતુ પાલિકાના કર્મચારીઓએ વરસતા વરસાદમાં કામ કરીને સ્થિતિને સામાન્ય બનાવવાના પ્રયાસો કાર્ય હતા. અને ફક્ત 2 કલાકમાં જ જાહેર રસ્તાઓ ઉપરનું પાણી ઉતરી ગયું હતું. આ સાથે મ્યુ. કમિશ્નરે એમ પણ જણાવ્યું હતું કે અખબારનગર અંડર પાસ પર રહેલા પાણી પણ ઓસરી રહ્યાં છે. જેને લીધે તે રસ્તો પણ થોડીવારમાં શરૂ થઇ જશે.


User: Sandesh

Views: 468

Uploaded: 2022-07-08

Duration: 03:56

Your Page Title