રોશનીથી ઝગમગી ઉઠ્યું શામળાજી મંદિર: લાખો ભક્તો આરતીની ક્ષણના સાક્ષી બન્યા

રોશનીથી ઝગમગી ઉઠ્યું શામળાજી મંદિર: લાખો ભક્તો આરતીની ક્ષણના સાક્ષી બન્યા

આજરોજ કૃષ્ણ જન્મોત્સવને લઈને ગુજરાતના પ્રસિદ્ધ યાત્રાધામ શામળાજીમાં ભાવિક ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. સવારથી જ ભક્તોએ મંદિરમાં ભગવાન કૃષ્ણના દર્શન માટે લાંબી લાઈનો લગાવી છે. ભગવાનના જન્મોત્સવને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે શામળાજી મંદિરને આજે અનેક પ્રકારની રંગબેરંગી લાઈટીંગથી શણગારવામાં આવ્યું છે. સુંદર રોશનીને કારણે શામળાજી મંદિરનો નજારો નયનરમ્ય બન્યો છે. આરતીના સમયે ભાવિક ભક્તોના ઘોડાપુરથી સમગ્ર માહોલ કૃષ્ણમય બન્યો હતો.


User: Sandesh

Views: 575

Uploaded: 2022-08-19

Duration: 02:00

Your Page Title