હું પાર્ટીમાં કોઈથી નારાજ કે પરેશાન નથીઃ શશિ થરૂર

હું પાર્ટીમાં કોઈથી નારાજ કે પરેશાન નથીઃ શશિ થરૂર

કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે રવિવારે તેમના પર લાગેલા આરોપો અંગે સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે તેઓ પાર્ટીના કેરળ વિભાગમાં કોઈથી નારાજ કે પરેશાન નથી. તેમણે કહ્યું કે તેમને કોઈની સાથે વાત કરવામાં કોઈ વાંધો નથી. ઓલ ઈન્ડિયા પ્રોફેશનલ્સ કોંગ્રેસના રાજ્ય સ્તરીય સંમેલનમાં હાજરી આપવા માટે કોચીમાં આવેલા થરૂરે મીડિયા સાથે વાત કરતા કહ્યું કે તેમણે ન તો પાર્ટીમાં કોઈની વિરુદ્ધ વાત કરી કે ન તો સૂચનાઓ વિરુદ્ધ કામ કર્યું છે. જો કોઈ એવું વિચારતું હોય તો પુરાવા રજૂ કરે. તેમણે કહ્યું કે આવો વિવાદ કેમ ઉભો કર્યો છે. મેં કોઈના પર દોષ કે આરોપ લગાવ્યો નથી. મારી તરફથી કોઈ ફરિયાદ કે સમસ્યા નથી. મને બધાને એકસાથે જોવામાં કોઈ તકલીફ નથી પડતી કે મને કોઈની સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી.


User: Sandesh

Views: 171

Uploaded: 2022-11-27

Duration: 00:34

Your Page Title